ઈંડિગો એરલાઈન્સ વિરુદ્ધ ‘રાષ્ટ્રદ્રોહ’ની ફરિયાદ, ભારતીય કરેંસી ના લેવાનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Nov 2017 05:29 PM (IST)
1
પ્રમોદે જણાવ્યું કે ઈંડિગો તેની પાસેથી ભારતીય મુદ્રા લેવાનો ઈનકાર કરી રહી છે જ્યારે નિયમ અનુસાર પેસેંજર જ્યાંનો છે અને જ્યાં જઈ રહ્યો છે ત્યાંની કોઈ પણ કરેંસી આપી શકે છે.
2
નવી દિલ્લી: ઈંડિગો એરલાઈન્સ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એરલાઈન્સના એક કર્મચારીએ ભારતીય કરેંસી લેવાનો ઈનકાર કરી દેતા તેના વિરુદ્ધ રાષ્ટ્રોદ્રોહની ફરિયાદ કરવામાં આવી છે. દિલ્લીમાં રહેતા પ્રમોદ કુમાર જૈને ઈંડિગો વિરુદ્ધ સરોજની નગર પોલીસ સ્ટેશનમાં ધારા 124(A) હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
3
ફરીયાદમા કહ્યું કે, પ્રમોદ કુમાર બેંગુલુરુથી ઈંડિગોની ફ્લાઈટ 6E95થી 10 નવેમ્બરે દુબઈ જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં તેણે ખાવાનું મંગાવ્યું હતું તેના બદલે તેમણે ભારતીય કરેંસી આપી હતી પણ ક્રૂ મેંબરે તેને લેવાનો ઈનકાર કરતા કહ્યું કે તેને માત્ર વિદેશી મુદ્રા લેવાની પરવાનગી છે.