મધ્યપ્રદેશ: ઈન્દોરમાં ત્રણ માળની હોટલ ધરાસાઈ, 10 લોકોના મોત
ઈન્દોર: મધ્યપ્રદેશમાં ઈન્દોરના સરવેટ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગઈ કાલે મોડી રાતે એક ત્રણ માળની હોટલ અચાનક ધરાસાઈ થઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. આ ધરાસાઈ બીલ્ડીંગની નીચે હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધી શકે તવી શક્યાતાઓ દર્શાવવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત ચાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.