✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PNB કૌભાંડ મામલે ઈન્ટરપોલે નીરવ મોદી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jul 2018 05:10 PM (IST)
1

આ સંજોગોમાં હવે નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસ કોઇ પણ અપરાધીને પકડવા માટે દુનિયાભરમાં માન્ય પ્રક્રિયા છે. સીબીઆઇએ આ માટે ઇન્ટરપોલને જરૂરી દસ્તાવેજ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. સીબીઆઇએ ઇન્ટરપોલ દ્વારા તમામ ૧૯૦ દેશોને નીરવ મોદીની અટકાયત કરવા માટે સૂચના આપવા જણાવેલ છે.

2

સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર પાસપોર્ટ રદ કરવાથી ધરપકડ કરી શકાતી નથી. ઘણા દેશો આ માટે ધરપકડ કરવામાં માનતા નથી, પરંતુ જો ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવે તો તમામ દેશો તેને સ્વીકારે છે અને ધરપકડ કરવા તૈયાર થઇ જાય છે.

3

નીરવ મોદી વિરુદ્ધ જારી કરવામાં આવેલી આ રેડકોર્નર નોટિસમાં ઇન્ટરપોલ દ્વારા તમામ સભ્ય દેશોને ભાગેડુ નીરવ મોદીની તાત્કાલિક ધરપકડ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત સપ્તાહે જ વિદેશ મંત્રાલયના અધિકારીઓએ સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે ફેબ્રુઆરીમાં પાસપોર્ટ રદ કરવા છતાં નીરવ મોદી એકથી બીજા દેશોમાં કઇ રીતે બેરોકટોક ફરી રહ્યો છે?

4

નવી દિલ્હી: PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. સીબીઆઇએ મે મહિનામાં નીરવ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, પરંતુ ઇન્ટરપોલે અત્યાર સુધી રેડકોર્નર નોટિસ જારી કરી નહોતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેન્ક સાથે જંગી કૌભાંડ કરવાનો આરોપ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • PNB કૌભાંડ મામલે ઈન્ટરપોલે નીરવ મોદી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.