મોદી નવા પંચના માધ્યમથી પાટીદારોને વિધાનસભાની ચૂંટણી સુધીમાં OBC અનામત આપી શકશે ? જાણો મહત્વની વિગત
જો કે ભાજપ ગુજરાતમાં પાટીદારોને વચન ચોક્કસ આપી શકે કે, અમે પાટીદારોને નવા પંચના માધ્યમથી OBC અનામતનો લાભ આપીશું. પાટીદારોને ખુશ કરીને ભાજપ ગુજરાતમાં ફરી સત્તા પર આવી શકે. ભાજપ પાસે એ પછી લોકસભાની ચૂંટણી સુધીનો સમય હશે. ત્યાં સુધીમાં ભાજપ સરળતાથી પાટીદારોને અનામત આપી શકે.
કાયદો પસાર થાય તે પછી સરકાર પંચના હોદ્દેદારો નિમી શકશે. આ બધી પ્રક્રિયામાં છ મહિના નિકળી જશે એ સ્પષ્ટ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં યોજાવાની છે. આ સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ નથી.
સરકારે હજુ સમિતીની રચના કરી નથી તે જોતાં આ બધી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 8 મહિના નિકળી જ જાય. આ પંચમાં એક પ્રમુખ, એક ઉપપ્રમુખ અને અન્ય સભ્યો હશે. તેની ભલામણ પણ સમિતી કરશે. એ સભ્યોની નિમણૂક પહેલાં સરકારે સંસદનાં બંને ગૃહમાં નવા પંચની રચના અને તેની સત્તાઓને લગતો ખરડો પસાર કરવો પડશે.
જો કે મોદી સરકારની જાહેરાત છતાં પાટીદારોને અનામતનો લાભ મળતાં ઓછામાં ઓછા બાર મહિના નિકળી જ શકે. તેનું કારણ એ કે સરકાર આ પંચની રચના માટે એક સમિતી રચશે. આ સમિતી છ મહિનામાં નવા પંચના સ્વરૂપ અંગે સરકારને અહેવાલ આપશે. એ પછી સરકાર તેની ભલામણો અંગે નિર્ણય લેશે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે નવા પંચની રચનાની જાહેરાત કરી છે. આ પંચના માધ્યમથી મોદી સરકાર અનામત માટે આંદોલન કરી રહેલા ગુજરાતના પાટીદારો તથા હરિયાણાના જાટ વગેરેને અનામતનો લાભ આપશે અને પોતાની મતબેંકને સાચવી લેશે તેવી અટકળો છે.