પેટ્રોલ 25 રૂપિયા સુધી કરી શકાય છે સસ્તું, જાણો કોણે કર્યો આવો દાવો
ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે.જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે.
ચિદમ્બરમે દાવો કર્યો કે, આટલો ઘટાડો સરળતાથી કરી શકાય છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ પગલું નથી ભરી રહી. ટ્વિટર પર ચિદમ્બરમે લખ્યું કે, પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 25 રૂપિયા સુધી ઘટાડી શકાય પરંતુ સરકાર આમ નહીં કરે. તે પટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -