જમ્મુ-કાશ્મીર: સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત, સ્નાઇપરર્સના હુમલામાં BSF અધિકારી શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 09:08 PM (IST)
1
શ્રીનગર: પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ અને પાકિસ્તાની રેંજર્સે ફરી એકવાર સરહદ પર નાપાક હરકત દેખાડી છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મંગળવારે સવારે આતંરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેજર્સેના સ્નાઇપરો દ્વારા ફાયરિંગ કર્યો હતો. જેમાં BSFનાં આસિસ્ટન્ટ કમાન્ડર શહીદ થઈ ગયો છે.
2
સીમા સુરક્ષા બળનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કઠુઓ જિલ્લાના હીરાનગર-સાંબા સેક્ટરમાં આતંરરાષ્ટ્રીય સરહદ પાસે બીએસએફના આસિસ્ટેંટ કમાન્ડર વિજય પ્રસાદ કઠુઆ વિસ્તારની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા. ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક પાકિસ્તાન રેંજર્સ સ્નાઇપરોએ ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યારે કમાન્ડર ગંભીર રીતે ઘવાયા હતા. અને તેમને તાત્કાલિક જમ્મુની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધાં.