Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર દુજાનાને કર્યો ઠાર
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેનાને પુલવામાના હકરીપોરા ગામમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેના અને લશ્કરના આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટ ચાલી રહ્યું છે. બંને બાજુથી ખૂબ હેવી ફાયરિંગ થઈ રહ્યું છે. અહીં લશ્કરના કમાન્ડર સહિત 2 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં શિખ ઈંફેંટ્રી રેજિંમેન્ટના જવાન મનદીપ સિંહનું માથું વાઢ્યું હોવાની ખાનગી એજન્સીને માહિતી મળી હતી. ખાનગી એજન્સીને માહિતી મળી હતી કે, આ ઘટના પાછળ પાકિસ્તાની આર્મીની સાથે લશકર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અબુ દુજાનાનો પણ હાથ છે. શરૂઆતની તપાસમાં માહિતી મળી હતી કે અબુ દુજાનાએ જ શહીદ મનદીપ સિંહનું માથું વાઢ્યું અને તેના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યો હતો. તેની સાથે આંતકીઓની ટુકડીની સાથે સાથે પાકિસ્તાની કમાન્ડર્સ પણ હતા.
પુલવામાઃ કાશ્મીરમાં આતંકિઓ સાથે લડતી ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. મંગળવારે સવારે જમ્મુ કાશ્મીરના પુલવાના કાકાપોરામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અબુ દુજાનાને ઠાર માર્યો છે. અથડામણાં એક અન્ય આતંકી પણ માર્યા ગયા છે. અનેક આતંકી ઘટનાઓને અંજામ આપનાર દુજાનાને સુરક્ષાદળો ઘણાં સમયથી શોધી રહી હતી. તેના પર 35 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -