જનધન ખાતામાં 45 દિવસમાં બમણી રકમ થઈ, જાણો કેટલા રૂપિયા થયા જમા

એક ટોચના અધિકારીનું કહેવું છે કે જનધન ખાતામાં મળેલી તમામ માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. જો એવું જાણવા મળ્યું કે આ રકમ કોઇ અન્ય વ્યક્તિની છે તો યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. નોટબંધી પછી પહેલા જ અઠવાડિયામાં રૂપિયા ૨૦,૨૨૪ કરોડની રકમ જમા થઇ ગઇ હતી. જોકે એ પછી સરકારે આવા લોકો સામે કાર્યવાહીની વાત કરતાં તેમાં ઘટાડો થયો હતો.
આવક વેરા ખાતા પાસે ૪.૮૬ લાખ ખાતામાં કરવામાં આવેલી ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયાની જમા રકમના પણ આંકડા છે. આ ખાતામાં કુલ ૨,૦૦૦ કરોડ છે. ૧૦ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી જનધન ખાતામાં કુલ ૪૧,૫૨૩ કરોડ જમા કરાયા હતા. એ પહેલા નવ નવેમ્બર સુધી આ ખાતામાં ૪૫,૬૩૭ કરોડ જમા હતા. આ રીતે જનધન ખાતામાં કુલ ૮૭,૦૦૦ કરોડની રકમ જમા થઇ હતી.
નવી દિલ્હીઃ નોટબંધીના 45 દિવસમાં જનધન ખાતામાં સૌથી વધારે કાળુ નાણું જમા કરાવીને વ્હાઈટ કરવામાં આવ્યું છે. આ જમા રકમ બે ગણી થઈને 87 હજાર કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, જે ખાતાઓમાં નોટબંધી બાદ અચાનક પૈસા જમા થયા છે તે પણ આઇટીના બાજનજર હેઠળ છે. આ ખાતાધારકોએ અન્ય કોઇની રકમ જમા કરી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.