‘પદ્માવત’ રિલીઝના વિરોધમાં ચિત્તોડગઢ કિલ્લો બંધ, મહિલાઓએ જૌહરની ધમકી આપી

પ્રદર્શનકારી મહિલાએ કહ્યું, ‘’જ્યારે ખિચડી બને છે તો એક ચોખાને જોઇને બધા ચોખાની ખબર પડી જાય છે કે ખિચડી કાચી છે કે પાકી, એવી જ રીતે ટ્રેલરને જોઇને જ ખબર પડી જાય છે. લોકોએ એટલા મુર્ખ નથી.’’
પ્રદર્શનકારી મહિલાએ વધુમાં કહ્યું ‘’ફિલ્મમાં રાની પદ્માવતીની સાથે સ્વપ્નમાં દેખતો બતાવ્યો છે. સપનામાં લવ સીન છે. જો કોઇ ખરાબ માનસિકતા વાળો માણસ કોઇ અન્ય સાથે સપનું જોઇ લે તો શું તેને પડદા પર બતાવશો.?’’
જે ખિલજીના સપનાને લઇને મહિલાઓ પ્રદર્શન કરી રહી છે તેના વિશે જાણીતા ઇતિહાસકાર અને ફિલ્મ જોઇ ચૂકેલા ઇરફાન હબીબે કહ્યું, ‘’ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતીનો ભેટો એક સેકન્ડ માટે પણ નથી થતો. આ પણ એક આરોપ છે, પણ ફિલ્મમાં એવું કંઇ છે જ નહીં.’’
ચિત્તોડગઢઃ રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાજપૂત મહિલાઓએ જૌહરની ધમકી આપી દીધી છે. આ મહિલાઓ કોઇપણ કિંમતે ફિલ્મ રિલીઝ નથી દેવા માંગતી. રાની પદ્માવતીની ઓળખ બનેલી એક જૌહર જ્યોતિ મંદિરમાં કાલે રાજપૂત સમાજના મહિલાઓએ પૂજા કરી. પ્રદર્શનને લઇને ઇતિહાસમાં કાલે બીજીવાર ચિત્તોડગઢ કિલ્લાને બંધ કરવામાં આવ્યો છે.
પ્રદર્શન કરી રહેલી એક મહિલાએ કહ્યું, ‘’જો સરકાર અમારું કહેવું નથી માનતી, નારી સ્વાભિમાનની રક્ષા નથી કરી શકતી, તો સરકાર અમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી દે.’’ ફિલ્મના વિરોધના નામ પર ઇચ્છામૃત્યુની માંગ કરવાવાળી મહિલાઓ માત્ર ફિલ્મના ટ્રેલર અને સાંભળેલી વાતો પર જ આંદોલન કરીને આ વાત કહી રહી છે.
પ્રદર્શનકારીઓ પર હકીકત અને વાસ્તવિકતામાં કોઇ ફરક નથી સમજાઇ રહ્યો. અત્યારે આખા ચિતોડગઢમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ચિત્તોડગઢ મહેલમાં દરેક આવનજાવન કરનારાની તાપસ કરાઇ રહી છે.