બરફમાં 24 કલાક સુધી માતાના મૃતદેહને ખભા પર લઈને ચાલ્યો સેનાનો જવાન, ન પહોંચી મદદ
ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆપીએ પઠાણકોટમાં અબ્બાસની માતાને હાર્ટ અટેક આવતા તેમનું અવસાન થયું હતું. 29 જાન્યુઆરીએ અબ્બાસ માતાના મૃતદેહ લઈને ટેક્સીમાં 450 કિમી દીર કૂપવાડા પહોંચ્યો હતો. અબ્બાસ કૂપવાડાથી તંગધાર હાઈવે થઈને અબ્બાસને જવું હતું પણ આવતા પાંચ દિવસ સુધી માનું શવ લઈને કુપવાડામાં ફસાયેલા રહેવું પડ્યું હતું.
જવાનનું કહેવું છે કે તેને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. જ્યારે સેના અને પ્રશાસને દાવો કર્યો છે કે મદદ પહોંચાડાઈ છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટર પહોંચાડ્યુ હતું પણ ત્યાં સુધીમાં તે પગપાળા નીકળી ગયો હતો.
સાધના ટોપથી તંગધાર સુધીનું અંતર કાપતા 24 કલાક લાગ્યા હતા.
આ હાઈવે પર સૌથી ઉંચી જગ્યા છે સાધના ટોપ 10700 ફીટની ઉંચાઈ પર છે. જ્યાં 20 ફીટથી વધુ બરફ પડ્યો હતો. રંગવાડ ગામ સાધના ટોપથી પહેલા આવે છે. જ્યારે આ ગામના લોકોને ખબર પડી કે જવાન પોતાની માતાનો મૃતદેહ લઈને આમ જઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો પણ આવ્યા હતા.
બરફના તોફાનમાં ભારતીય સેનાના 20 જવાનો છેલ્લા એક અઠવાડિયામાં શહીદ થયા છે. તેના પછી વધુ એક ચોંકાવનારી ખબર કશ્મીર ઘાટીમાંથી આવી છે. જ્યાં ભારતીય સેનાના જવાન પોતાની માતાના મૃતદેહને પાંચ દિવસ સુધી રસ્તા પર રાખવો પડ્યો હતો. આ પછી આ જવાને 25 ફીટ બરફમાં ચોવીસ કલાક સુધી મૃતદેહને ખભા પર લઈને જવો પડ્યો હતો.
કુપવાડાથી નજીક 20 કિમી આગે રંગવાડ ગામ આવે છે. ત્યાં સુધી અબ્બાસ ગાડીમાં પહોંચી શક્યો હતો. પણ આ પછી રસ્તો બંધ હોવાના કારણે તે શવને ઉપાડીને પગપાળા ચાલવા લાગ્યો હતો.
ભારે બરફ પડવાથી અબ્બાસ ઉપરાંત 50-60 લોકો પણ ફસાયેલા હતા. અબ્બાસે હેલિકોપ્ટરની મદદથી મૃતદેહને ગામ પહોંચાડવા માટે મદદ પણ માગી પણ પાંચ દિવસ સુધી કોઈ મદદ ન મળતા તે પોતાના ખભે મૃતદેહ લઈને નીકળી પડ્યો હતો.