✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે અમ્માની 'બેસ્ટ ફ્રેંડ' શશિકલા: પરિવાર સાથે રહેતી જયલલિતાના ઘરે, જાણો દોસ્તીની કહાની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2016 02:44 PM (IST)
1

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી અને AIADMKના પ્રમુખ જયલલિતાના નિધન પછી પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવાયા છે. પન્નીરસેલવમ જયલલિતાના નિકટના માનવામાં આવે છે. જો કે પડદા પાછળ પાર્ટીની કમાન જયલલિતાની બેસ્ટ ફ્રેંડ કહેવાતી શશિકલા નટરાજનના હાથમાં રહે તેવી સંભાવના છે.

2

જયલલિતા અને શશિકલાની મિત્રતામાં પહેલી વાર 1996 ચતિરાડ પડી હતી. જ્યારે AIADMKને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતાએ આ માટે શશિકલા અને તેના પરિવારજનોની ખરાબ છાપને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 2012માં જયલલિતાએ શશિકલાને પાર્ટીમાંથી બહાર કાઢી હતી. મીડિયા રીપોર્ટના આધારે શશિકલાના પરિવારજનોએ તેને તમિલનાડુની સીએમ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ વાતથી નારાજ થયેલા જયલલિતાએ શશિકલા અને તેના પરિવારને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જો કે પછીથી શશિકલાએ માફી માગતા તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો શશિકલા પાર્ટીની કમાન તો મળશે પણ તે પડદા પાછળ જ રહેશે. પાર્ટીનું માનવું છે કે શશિકલામાં જયલલિતાની જેમ લોકોને એક કરવાની કલા છે. પણ પાર્ટીના અમુક લોકોને શશિકલા સામે વાંધા પણ છે. આથી તે લોકો સાથે સંવાદ ઓછો રાખશે. જો કે પાર્ટીના મહત્વના નિર્ણયો પન્નીરસેલવમને બદલે શશિકલા જ લેશે.

3

શશિકલાના પતિ નટરાજન કડલોર જિલ્લાના કલેક્ટર વીએસ ચંદ્રલેખા સાથે કામ કરી રહ્યા હતા. ચંદ્રલેખા તમિલનાડુના તત્કાલિન સીએમ એમ.જી. રામચંદ્રનના નજીક હતા. એમજીએર પોતાની ફિલ્મોની કો-સ્ટાર જયલલિતાના પણ નિકટ હતા. ભીડને આકર્ષિત કરવાની જયલલિતાની કલાથી એમજીઆર પ્રભાવિત હતા. આથી તેમણે પોતાની પાર્ટી AIADMKમાં જયલલિતાને લીધી હતી. કલેક્ટર ચંદ્રલેખાએ નટરાજનના કહેવાથી એમજીઆરને શશિકલા અને જયલલિતાને મેળવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

4

બંનેની મિત્રતા એટલી પાક્કી થઈ ગઈ છે વર્ષ 1988માં શશિકલા પરિવાર સાથે જયલલિતાના ઘરે રહેવા લાગી હતી. આ પછી શશિકલા જ નક્કી કરતી હતી કે કોણ જયલલિતાને મળશે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મોટો નિર્ણયોમાં શશિકલાની મહત્વની ભૂમિકા હતી. આ સાથે જ પાર્ટીમાં કોને કાઢવા કે કોને નિયુક્ત કરવા તે અંગે પણ શશિકલા નક્કી કરતી.

5

શશિકલાનો જન્મ તંજૌર જિલ્લાના મનારગુડીમાં થયો હતો. શશિકલાએ શાળા અડધેથી છોડી દીધી હતી. શશિકલાના લગ્ન તમિલનાડુ સરકારના પબ્લિક રિલેશન ઓફિસર નટરાજન સાથે થયા હતા. ફિલ્મોની શોખીન શશિકલા પૈસા કમાવવા માટે એક વીડિયો શોપ ચલાવતી હતી. તે આજુબાજુના ઘરમાં લગ્ન હોય તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા પણ કરવા જતી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ છે અમ્માની 'બેસ્ટ ફ્રેંડ' શશિકલા: પરિવાર સાથે રહેતી જયલલિતાના ઘરે, જાણો દોસ્તીની કહાની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.