✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 24 બેઠકો કેમ ખાલી રખાય છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jun 2018 10:30 AM (IST)
1

નોંધનીય છે કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ચૂંટણી થતી નથી. આ વિસ્તાર ભારતનો જ છે એવું બતાવવા માટે પ્રતિકાત્મક રીતે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી યોજાય છે. એ રીતે 87 બેઠકોની વિધાનસમાં સરકાર બનાવવા માટે સરકાર પાસે 44 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.

2

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ 111 વિધાનસભા બેઠક છે જે પાકી માત્ર 87 સીટ પર જ ચૂંટણી થાય છે. કારણ છે કે જમ્મુ કાશ્મીરનો બધોજ પ્રદેશ ભારતનો છે. અને 24 બેઠકો એવી છે જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની છે. બધો જ પ્રદેશ ભારતનો હોઈ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પ્રજાને પણ કાશ્મીરની વિધાનસભામાં પોતાના પ્રતિનિધી મોકલવાનો હક છે.

3

બુધવારે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે.

4

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. તેનાથી રાજ્યમાં ફરી અસ્થિરતા આવી છે. રાજ્યમાં 12 વર્ષથી ગઠબંધન સરકારોનો દોર ચાલ્યો છે, પરંતુ કોઈ સરકાર કાર્યકાળ પૂરો કરી શકી નથી. આ પહેલાં રાજ્યમાં નેશનલ કોન્ફરન્સનો જ દબદબો રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ચૂંટણી થઈ છે જ્યારે 7 વખત રાજ્યપાલ શાસન આવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 24 બેઠકો કેમ ખાલી રખાય છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.