જજોની વચ્ચે ઉકેલાયો ‘સુપ્રીમ વિવાદ’, જજ લોયા કેસ પર સુનાવણી આજે
કોંગ્રેસ સમર્થક તહસીન પુનાવાલા અને પત્રકાર બન્ધુરાજ લોનેની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા જજ લોયાનું 2014માં સંદિગ્ઘ હાલતમાં મોત થઇ હતી. સોહરાબુદ્દીન મામલે મોટા માથાઓ પર લાગેલા આરોપોને નજરમાં રાખી એ જરૂરી છે કે મોતની નિષ્પક્ષ તપાસ થાય.
મહારાષ્ટ્રના સ્પેશ્યલ સીબીઆઇ જજ બી એચ લોયાની મોતની નિષ્પક્ષ તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. શુક્રવારે કોર્ટે મહારાષ્ટ્રના વકીલને કહ્યું હતું કે તે આ મામલે સરકારનું સૂચન લઇને કોર્ટને જણાવે.
સુપ્રીમ કોર્ટમાં કામકાજ બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવી પરંપરા છે કે કોર્ટ પહેલા જજો ચા માટે મળે છે. કાલે પણ કોર્ટમાં ઉપસ્થિત બધા જજ એકબીજા સાથે મળ્યા અને વાતો કરી. જજોની લૉન્જમાં આજે સ્ટાફની બિનહાજરીમાં 15-20 મિનીટ સુધી બધા જજ બેઠા અને વાતો કરી.
નવી દિલ્હીઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઇના જજ લોયાની મોતની તપાસની માંગ ઉઠી રહી છે. આજે આ માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જોજના અંદરોઅંદરના મતતભેદોના મૂળમાં લોયાની મોતનો મુદ્દો હતો. વળી કાલે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે જજોની વચ્ચેનો વિવાદ ઉકેલાઇ ગયો છે.