UPમાં વધુ એક ટ્રેન અકસ્માતઃ ડમ્પર સાથે ટકરાઈ કૈફિયત એક્સપ્રેસ, 10 ડબ્બા ખડી પડ્યા
જણાવીએ કે, શનિવારે પુરીથી હરિદ્વાર જતી ઉત્કલ એક્સપ્રેસ મુઝફ્ફરનગરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ત્યાર બાદ રેલવેમંત્રી સુરેશ પ્રભુ પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા અને બેદરકારીનો આરોપ લગાવતા તેમના રાજીનામાની માગ કરી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 22 લોકો માર્યા ગયા હતા.
અલાહબાદ અને કાનપુરથી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર એન્જિન, પાવર કારની સાથે 4 જનરલ કોચ, B2, H1, A2, A1 અને S1 કોચ પાટા પરથી ખડી પડ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કેટલાક પ્રવાસી આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત બચાવના કામ માટે એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઇટાવાઃ ઉત્તર પ્રદેશમાં એક જ સપ્તાહમાં બીજો ટ્રેન અકસ્માત થયો છે. દિલ્હી-હાવડા માર્ગ પર ઔરૈયાની પાસે કૈફિયત એક્સપ્રેસ એક ડમ્બર સાથે ટકરાતા દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના અછલ્દા અને પાતા રેલવે સ્ટેશનની વચ્ચે થઈ છે. આ દુર્ઘટનામાં એન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર અનેક લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. રેલવેએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. અંદાજે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉત્તર-મધ્ય રેલવે તરફથી મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધી કોઈના મોત થયાના સમાચાર નથી.