કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 15 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન

કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.