કાંચી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
જયેન્દ્ર સરસ્વતીના નિધન બાદ કાંચી મઠમાં વિજયેન્દ્ર સરસ્વતીની શંકરાચાર્ય તરીકે નિમણૂક કરાશે. વિજયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 70માં મઠપ્રમુખ બનશે.
18 જુલાઈ 1935ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા. તેઓ 1954માં શંકારાચાર્ય બન્યા હતા. કાંચી મઠની સ્થાપના ખુદ આદિ શંકરાચાર્યએ કરી હતી. કાંચી મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે.
રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે જયેન્દ્ર સરસ્વતી એક સુધારાવાદી સંત હતા, તેઓએ સમાજ માટે ઘણું કામ કર્યું છે.
ચેન્નઈઃ કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને રવિવારે ચેન્નઇની રામચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે શંકરાચાર્ય હંમેશા અમારા દિલમાં જીવતા રહેશે. તેમણે સમાજ માટે ઘણું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન શંકરાચાર્ય સાથેની તેમની જૂની તસવીર પણ શેર કરી છે.