કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો: કાર અકસ્માતમાં કોંગ્રેસના કયા ધારાસભ્યનું થયું મોત, જાણો વિગત
કર્ણાટકમાં કોંગ્રેસ(77) અને જેડી(એસ)(38) અને બીએસપીની એક સીટના સમર્થનથી કુમારસ્વામી મુખ્યમંત્રી બની શક્યા છે અને 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી બીજેપી વિપક્ષમાં છે. આવનારા સમયમાં પેટા-ચુંટણીઓ રાજનીતિક સમીકરણો બદલી શકે છે.
સિદ્ધુ નયમા ગૌડાના મૃત્યુ બાદ કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને 77 થઇ ગઈ છે. આ પહેલા કર્ણાટકમાં 224 સીટોમાંથી 222 સીટો પર ચુંટણી યોજાઈ હતી. એચડી કુમારસ્વામીએ એક સીટ પરથી રાજીનામું આપ્યું, સિદ્ધુનું આકસ્મિક મોત થવાથી અને બે સીટો ચુંટણી ન થવાથી કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી પડી છે.
તેઓ કારથી બગલકોટ, કર્ણાટક સ્થિત એમના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં જ કોઈ ટ્રકે તુલસીગીરી પાસે તેમની કારને ટક્કર મારી હતી. હાલમાં જ થયેલી કર્ણાટક ચુંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને 2500 વોટથી હરાવ્યા હતા.
આ દરમિયાન જ એમની કારને અકસ્માત નડ્યો હતો. 69 વર્ષીય સિદ્ધુ નયમા ગૌડા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા અને હાલમાં જ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
બેંગલોર: કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મીડિયાના જણાવ્યા પ્રમાણે સિદ્ધુ નયમા ગૌડાનું ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા.