કરણી સેનાએ હવે ભંસાળીની સામે મુકી આ શરત, હિંસા પર કરી સ્પષ્ટતા
તેમને કહ્યું કે, અમદાવાદમાં થયેલી હિંસાથી તેમના સંગઠનના સભ્યોને કોઇ લેવા-દેવા નથી. અમદાવાદમાં મૉલની બહાર વાહનોમાં તોડફોન કરવામાં આવી હતી. તેમને કહ્યું કે આ હુમલાની પાછળ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો હાથ છે.
કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે, તેમના સભ્યો કે કોઇપણ અન્ય ક્ષત્રિય સંગઠનનો સ્કૂલ બસ પર થયેલા હુમલામાં હાથ નથી. નોંધનીય છે કે બુધવારે ગુડગાંવમાં એક ટોળાએ 20-25 બાળકોને લઇને જઇ રહેલી એક સ્કૂલ બસ પર હુમલો કર્યો હતો. ફિલ્મના વિરોધમાં હિંસક પ્રદર્શનકારીઓએ વાહનોમાં આગ લગાવી દીધી અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડ્યું હતું.
કરણી સેનાએ શનિવારે કહ્યું કે જો તેમને 'પદ્માવત' ફિલ્મના રાઇટ્સ સોંપવા ભંસાળી રાજી થાય છે, તો તેઓ ફિલ્મ બનાવવામાં થયેલા ખર્ચને ભોગવવા તૈયાર છે. ઉપરાંત કરણી સેનાએ દેશમાં થયેલી હિંસામાં તેઓ સામેલ ના હોવાની પણ વાત કહી છે.
કાલવીએ કહ્યું, 'કાલે અમે કોઇ પ્રદર્શન નથી કર્યું કેમકે ગઇકાલે પ્રજાસત્તાક દિવસ હતો અને અમે અમારા રાષ્ટ્રનું સન્માન કરીએ છીએ, જ્યાં સુધી આ ફિલ્મને થિએટર્સમાંથી પાછી નથી ખેંચી લેવામાં આવતી ત્યાં સુધી અમે અમારુ પ્રદર્શન ચાલુ રાખીશું. કાલવી વધુમાં કહ્યું, 'જો તે (ભંસાળી) ફિલ્મના રાઇટ્સ અમને સૌંપી દે છે તો અમે પૈસા એકઠા કરીને તેમને આપવા તૈયાર છીએ. અમે ફિલ્મના રીલનું જૌહર કરીશું.
કાલવીએ કહ્યું, 'અમે કોઇપણ પ્રકારની તપાસ, ભલે તે સીબીઆઇ તપાસ હોય કે ન્યાયિક તપાસ માટે તૈયાર છીએ. કોઇપણ રાજપૂત આવું કરવા માટે વિચારી પણ નથી શકતો. જો અમે ત્યાં હાજર હોત તો તે હુમલો થવા જ ના દેતા.'
નવી દિલ્હીઃ વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવતને લઇને હવે નવી વાત સામે આવી છે. કરણી સેના દ્વારા સમગ્ર દેશમાં વિરોધ બાદ હવે ભંસાણીની સામે નવી શરત મુકી છે. શ્રીરાજપુત કરણી સેનાએ કહ્યું કે અમે ફરીથી ફિલ્મ પદ્માવતનો વિરોધ કરીશું.