કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા અકબર લોન કોણ છે ?
આ પહેલા પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જે લોકો સંઘ અથવા બીજેપી સાથે હાથ મિલાવે છે તેઓ મુસલમાન ન હોઇ શકે. જે લોકો ગાયના નામ પર મુસ્લિમોની હત્યા કરે તે લોકો ક્યારે મુસલમાનોના સગા ન હોય.
ઓમર અબદુલ્લા સરકારમાં તેઓ કેબિનેટ મિનિસ્ટર હતા અને હાયર એજ્યુકેશનનો પોર્ટફોલિયો સંભાળતા હતા.
અકબર લોન તેમના મીડિયા પ્રત્યેના નેગેટિવ એટિટ્યૂડના કારણે પણ જાણીતા છે. લોન નેશનલ કોંગ્રેસના વડા ડો. ફારુક અબ્દુલ્લા સામે પણ અનેક વખત વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શનિવારે હોબાળાવાળી રહી. બીજેપી ધારાસભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને પાક. ઝિંદાબાદના નારા લગાવ્યા. લોને કહ્યું, હા એ વાત સાચી છે કે મેં પાક ઝિંદાબાદના નારા લગાવ્યા. આ મારો અંગત મામલો છે. મને નથી લાગતું કે તેનાથી કોઇને કોઇપણ જાતની તકલીફ હોય.
મોહમ્મદ અકબર લોન જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર અને બાંદીપોરા જિલ્લાના સોનાવારી વિધાનસભા વિસ્તારમાંથી નેશનલ કોંગ્રેસના ધારાસભ્ય છે.