✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BSP-SPના ગઠબંધને કોંગ્રેસ માટે કેમ છોડી અમેઠી-રાયબરેલી સીટ, માયાવતીએ ખોલ્યું રાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2019 03:23 PM (IST)
1

માયાવતીએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલી આ બંને લોકસભા સીટ અમે કોંગ્રેસ માટે છોડી દીધી છે. તેણે આ નિવેદનથી એવું દર્શાવવાની કોશિશ કરી કે સપા-બસપા ગઠબંધન કોંગ્રેસ સામે નથી પરંતુ એનડીએની વિરુદ્ધમાં છે. આ કારણે ગઠબંધને બંને સીટો પર નહીં લડવાનો ફેંસલો લીધો છે.

2

જો સપા-બસપા ગઠબંધન બંને સીટો પર ઉમેદવાર ઉતારત તો કોંગ્રેસની પરેશાની વધી શકતી હોત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં જ ગૂંચવાયેલા રહેત અને દેશના બાકીના રાજ્યોમાં બીજેપીને ઘેરવાનો સમય ન આપી શકત. બંને સીટો છોડવાનું પાછળ એવું કારણ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સાથે ગઠબંધનનો માર્ગ મોકળો હોવાની રણનીતિ પણ છે.

3

લખનઉઃ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરનસ કરીને ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. તેની સાથે જ માયાવતીએ રાજ્યની 80 લોકસભા સીટોની ફોર્મૂલા પણ સામે રાખી હતી. જે મુજબ બસપા અને સપા 38-38 સીટ પર ચૂંઠણી લડશે અને બે સીટ પ્રાદેશિક પક્ષો માટે છોડી છે. જ્યારે બાકી રહેલી બે સીટ અમેઠી અને રાયબરેલી પર ગઠબંધને કોંગ્રેસ સામે ઉમેદવાર નહીં ઉતારવાની રણનીતિ અપનાવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • BSP-SPના ગઠબંધને કોંગ્રેસ માટે કેમ છોડી અમેઠી-રાયબરેલી સીટ, માયાવતીએ ખોલ્યું રાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.