લાલુએ JDUની માગ ફગાવી, કહ્યું- તેજસ્વી રાજીનામું નહીં આપે
રેલવે ટેન્ડર સ્કેમ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું પ્રેશર વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેડીયૂના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ નીતિશ કુમાર સાથે લાંબી વાત કરીને ગઠબંધન નહીં તોડવા જણાવ્યું હતું. સોનિયાએ સલાહ આપી હતી કે બંને નેતા મળીને કોઈ પણ મતભેદ હોય તો તેનો ઉકેલ લાવે. સોનિયા તરફથી કરવામાં આવેલા આ પ્રયત્ન પછી પ્રવક્તાઓના સુર પણ બદલાઈ ગયા છે.
નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે આરજેડી ધારાસભ્યોની બેઠક બાદ સ્પષ્ટ કર્યું છે કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે. હવે આ નિર્ણય બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર દબાણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે નીતીશ કુમારે ભ્રષ્ટાચારના આરોપામાં ઘેરાયેલ તેજસ્વી યાદવને ખુદને નિર્દોષ સાબિત કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, આરજેડીએ આ મામલે નિર્ણાયક વલણ અપનાવવું પડશે.
આ પહેલા શુક્રવારે સોનિયા ગાંધીએ નીતીશ કુમરા સાથે વાત કરીને ગઠબંધન ન તોડવાની અપીલ કરી હતી. જોકે લાલુએ મોડી રાત્રે એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું છે કે, વિધાનસભા મંડળે નિર્ણય લીધો છે કે તેજસ્વી યાદવના રાજીનામાના કોઈ સાવલ જ ઊભો થતો નથી. રાજીનામા માટે માત્ર એફઆઈઆર કારણ ન હોઈ શકે. અમારા તરફથી ગઠબંધન સાલમત છે. આરજેડી અહીં બીજેપી અને આરએસએસને પગપેસારો કરવા માટે કોઈ જગ્યા આપશે નહીં. આ બધી જ રમત ગઠબંધન તોડવા માટે કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -