હિમાચલ પ્રદેશઃ મંડીમાં ભયાનક દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે બે બસ દબાઈ, 7ના મોત, 45 ફસાયા
કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં જિલ્લા પ્રશાસન કે સ્થાનિક પોલીસ સ્ટેશનને સંપર્ક કરવાની સૂચના અપાઈ છે. ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયો છે જે મુજબ મદદ માટે 1077 પર ફોન કરવાની સૂચના અપાઈ છે. આ બાજુ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રશાસન ઘટનાસ્થળે તૈનાત છે. શનિવારે રાતે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઈ. મંડીમાં હાલ એલર્ટ જારી કરી દેવાઈ છે. સતત વરસાદના પગલે હનોગી મંદિર અને તેની આજુબાજુ ચટ્ટાનો પડી રહી છે.
ભૂસ્ખલનના જોખમને કારણે મંડીથી ઓટ જતા નેશનલ હાઈવે 21 બંધ કરી દેવાતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ભૂસ્ખલનમાં નિગમની એક બસ ચપેટમાં આવ્યાં ઉપરાંત અડધા ડઝનથી વધુ નાના વાહનો પણ દબાયા હોવાની આશંકા છે.
મંડીઃ હિમાચલ પ્રદેશના મંડીમાં નેશનલ હાઈવે પર ભયાનક દુર્ઘટના થઈ છે. ભૂસ્ખલનના કારણે બે બસ દબાઈ ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 45 લોકો હજુ પણ ફસાયેલા છે. કહેવાય છે કે, એક બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી. બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા પીવા રોકાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -