✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Live: બપોરે 2 વાગે શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચશેે, ક્યારે કરાશે અંતિમ સંસ્કાર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 11:25 AM (IST)
1

2

અંતિમ સંસ્કાર માટે શ્રીદેવીન પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈના અંધેરીમાં તેના ઘરની બહાર પણ ચાહકોની ભીડ જામી છે.

3

મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જ્યાં તેમને હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. અંતિમ સંસ્કાર માટે શ્રીદેવીન પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈના અંધેરીમાં તેના ઘરની બહાર પણ ચાહકોની ભીડ જામી છે. શ્રીદેવીના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યાની આસપાસ દુબઈથી મુંબઈ લાવવામાં આવશે.

4

અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. જેમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું મારી પાસે કોઈ શબ્દ નથી. જેમણે તેનાથી પ્રેમ હતો તેમના માટે હું શોક પ્રકટ કરુ છું.

5

શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, સુત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

6

શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરે સાથે એબીસી અસ્મિતા સાથે આ સમાચારની પૃષ્ટિ કરી હતી. સંજય કપૂરે જણાવ્યું હતું કે, હું દુબઈમાં લગ્નમાં હાજરી આપીને પરત મુંબઈ ફર્યો હતો જોકે આ સમાચાર મળતાં જ ફરી હું દુબઈ જવા રવાના થઈ ગયો હતો. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ દુબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી. શ્રીદેવીએ 300મી ફિલ્મ કરી હતી જેનું નામ છે ‘મોમ’.

7

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્રીદેવીએ શનિવાર મોડીરાતે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ભત્રીજાના લગ્ન માટે દુબઈ પહોંચેલ શ્રીદેવીને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • Live: બપોરે 2 વાગે શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચશેે, ક્યારે કરાશે અંતિમ સંસ્કાર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.