Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સંસદ ઠપ થવાથી ફરી નારાજ થયા એલકે આડવાણી, રાજીનામું આપવાની કરી વાત
જ્યારે સંસદન સ્થગિત કરવામાં આવી તો આડવાણીએ લોકસભાના એક અધિકારીને પૂછ્યું કે સંસદન કેટલા વાગ્યાસુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે અધિકારીએ જણાવ્યું કે બે વાગ્યા સુધી તો આડવાણીએ કહ્યું, અનિશ્ચિત કાળ સુધી શા માટે નથી કરી દેતા?
Download ABP Live App and Watch All Latest Videos
View In App7 ડિસેમ્બરે સંસદ ન ચાલવા પર આડવાણીએ લોકસભા અધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી પર ભડક્યા હતા. લંચ પહેલા 15 મિનિટ માટે સંસદન સ્થગિત કરતા પહેલા આડવાણીએ કહ્યું હતું, ન તો સ્પીકર અને ન તો સંસદીય કાર્યમંત્રી સંસદ ચલાવી રહ્યા. હું સ્પીકર પાસે જઈને કહું છું કે તેઓ સંસદ નથી ચલાવતા. હું તેને સાર્વજનિક રીતે કહેવા જઈ રહ્યો છું. આ દરમિયાન કુમાર ચુપચાપ તેમને સાંભળતા રહ્યા. સાથે જ અનંતે મીડિયા ગેલેરી તરફ ઈશારો કરતા એ પણ કહ્યું કે, તેમની આ ટિપ્પણી મીડિયામાં રિપોર્ટ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ સંસદ વારંવાર સ્થગિત થવા પર ફરી રોષ વ્યક્ત કર્યો છે. કેટલાક સાંસદો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે રાજીનામું આપી દઉ. ટીએમસીના સાંસદ ઇદરીસ અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કે, જો આજે સંસદમાં અટલજી હોત તો તે પણ પરેશાન હોત.
અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કોઈ જીતે કે હારે, પણ આ હોબાળામાં સંસદની તો હાર જ છે. સ્પીકર સાથેવાક કરીને આવતીકાલે ચર્ચા થવી જોઈએ. આડવાણીએ આ પહેલા 9 ડિસેમ્બરે કહ્યું હતું કે, અમારા લોકો (સત્તા પક્ષ)ને હંગામો કરીને સંસદ ન ચાલવા દીધી. તેમણે સાંસદો અને લોકસબા ચલાવવાની જવાબદારી લોકસભા અધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી વગેરેના કામકાજ પર ટિપ્પણી કરીને નોટબંધીનો સામનો કરી રહેલ ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યાર બાદ અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને શાંતા કુમારે પણ પોતાની નારાજગી વ્યક્તિ કરી અને લેખીતમાં લોકસભા અધ્યક્ષને તેના વિશે જણાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -