નિરવ મોદી બાદ હવે પેન કિંગ રોટૉમેક CBIના સકંજામાં, 7 બેન્કોની 3695 કરોડ લૉન ના ચૂકવતા કેસ દાખલ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ED) એ પણ વિક્રમ કોઠારી સામે મની લૉન્ડરિંગનું કેસ નોંધ્યો છે. સીબાઆઇએ સોમવારે સવારે કોઠારીના કાનપુર સ્થિત ઘર સહિત ત્રણ ઠેકાણાંઓ પર દરોડ પાડ્યા, કોઠારી અને તેનું ફેમિલી સાથે પુછપરછ ચાલી રહી છે.
થોડાક દિવસો પહેલા સોશ્યલ મીડિયામાં કોઠારીના દેશ છોડવાના સમાચાર વહેતા થયા હતી, ત્યારબાદ કોઠારીએ કહ્યું કે તે ભાગ્યો નથી, રવિવારે તેઓ કાનપુરમાં એક લગ્ન સમારોહમાં જોવા મળ્યા.
કોઠારી વિરુદ્ધ 600 કરોડ રૂપિયાનો બાઉન્સ ચેક આપવાનો કેસ પણ થઇ ચૂક્યો છે. આ મામલે અને બાકી દેવાંને લઇને આરબીઆઇએ અલાહાબાદ બેંકને નોટિસ મોકલી છે. જે પછી કોલકાતા અને મુંબઈથી આવેલા ઓફિસરોએ દરોડા મારવા શરૂ કર્યા. માલરોડ પર આવેલી વિક્રમ કોઠારીની રોટોમેકની ઓફિસ છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે. સોશિયલ મીડિયા પર તેમના દેશ છોડીને ભાગવાની ખબરો છવાયેલી હતી. જે પછી તેમણે રવિવારે નિવેદન આપીને કહ્યું કે તેઓ કાનપુરમાં જ છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કોઠારીએ અલાહાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી પાંચ 5 નેશનલાઇઝ્ડ બેંકોમાંથી આશરે 800 કરોડ રૂપિયાની લોન લીધી છે. આરોપ છે કે રોટોમેકે લોન નથી ચૂકવી અને આ માટે બેંકોએ નિયમોને તાક પર રાખ્યા.
આ મામલે વિક્રમ કોઠારીના વકીલ શરદ કુમાર બિરલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, આ કેસ લોન ડિફોલ્ટ છે, ફ્રોડનો નથી.
આ પહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ વિક્રમ કોઠારી અને અન્યો વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો. તેમના પર 5 બેંકોમાંથી 800 કરોડની લોન લીધા પછી તેને ન ચૂકવવાનો આરોપ છે.
સીબીઆઇએ જણાવ્યું કે ઇન્ટરેસ્ટ સાથે રોટોમેકની લોન્સની કુલ રકમ રૂ. 3695 કરોડ છે. આ બેંકોમાં બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ બરોડા, બેંર ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક અને ઓરિયેન્ટલ બેંર ઑફ કોમર્સ સામેલ છે.
કાનપુરઃ પીએનબીના નિરવ મોદી બાદ હવે સીબીઆઇના સકંજામાં વધુ એક શખ્સ ફસાયો છે. સીબીઆઇએ રોટૉમેક કંપની અને તેના ડાયરેક્ટર્સ વિરુદ્ધ બેન્ક ઓફ બરોડાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રોટૉમેક અને વિક્રમ કોઠારી સહિત 3 ડાયરેક્ટર્સે 7 બેન્કોના 3695 કરોડ રૂપિયા નથી ચૂકવ્યા, આ લોકોએ છેતરપિંડી કરીને આ લૉન મેળવી હતી.