લખનૌ: પૂર્વ MLAના દીકરાએ નશામાં રેનબસેરામાં ઘુસાડી કાર, 4ના મોત

પોલીસ અધિકારી ડી.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે 108 એમ્બ્યુલેંસ સૂચના આપ્યાના 35 મિનિટ બાદ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાં સુધીમાં પોલીસ પોતાની ગાડીઓથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી ચૂકી હતી.
કારમાં સવાર ગોમતીનગરના રહેવાસી આયુષ રાવતના અને પુનીત અરોડાની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આયુષ સપાના પૂર્વ ધારાસભ્ય અશોક રાવત અને નિખિલ એક જાણીતા બિઝનેસમેનનો દીકરો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ નશામાં હતા.
દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસે 108 નંબર પણ જાણ કરી પરંતુ એમ્બ્યુલેંસ સમયસર પહોંચી શકી નહીં.
કાર રેનબસેરાના બીજા છેડા સુધી લોકોને કચડીને ચાલી ગઈ અને એક પાઈપ સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ. કાર નીચે કચડાઈ જવાથી બે લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. તેમની ઓળખ પૃથ્વીરાજ અને ગોકરન રૂપે થઈ છે. બંને બહરાઈચ અને મટિહા ગામના રહેવાસી છે.
ઘટના શનિવાર રાત્રે આશરે 1 વાગ્યાની છે. જાણકારી મુજબ, ડાલીબાહ વિસ્તારમાં બનાવવામાં આવેલા રેનબસેરામાં રોજ 50થી વધુ લોકો ઉંઘે છે. શનિવારે પણ ત્યાં આશરે 55 થી 60 લોકો ઉંઘી રહ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 1 વાગે ગન્ના સંસ્થા તરફથી આવી રહેલી કાર બેકાબૂ થઈને રેનબસેરામાં ઘુસી ગઈ.
લખનૌ. શહેરના ડાલીબાગ વિસ્તારમાં બનેલા રેનબસેરમાં સ્પીડમાં આવેલી કારે ત્યાં ઉંઘી રહેલા 10 લોકોને કચડી નાંખ્યા હતા. દુર્ઘટનામાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 2 લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. 6 ઘાયલોમાંથી 3ને ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા છે