150 વર્ષ બાદ આજે થશે પૂર્ણ ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કયા સમયે દેખાશે ‘રેડ મૂન’
અમેરિકાના મોટાભાગના વિસ્તારો ઉત્તરીય-પૂર્વી યૂરોપ, રશિયા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ ચંદ્રગ્રહણ દેખાશે. ચંદ્રગ્રહણ આખી દુનિયામાં એક જ સમયે થશે, એટલે સાંજે 5.18 થી શરૂ થઇને રાત્રે 8.41 વાગે પુરુ થઇ જશે. ચંદ્રમાં ઉદય થવાના સમય અનુસાર લોકો ચંદ્રગ્રહણની અલગ અલગ કળાઓ જોઇ શકશે.
દિલ્હીમાં ચંદ્રમાં ઉદય સાંજે 5 વાગીને 53 મિનીટ પર થશે ત્યાં ચંદ્રમાં ઉદય આશિંક ગ્રહણમાં થશે. આ રીતે મુંબઇમાં ચંદ્રમાંનો ઉદય સાંજે 6 વાગીને 27 મિનીટ પર થશે. આ પહેલા 6.21 મિનીટથી પૂર્ણ ગ્રહણ શરૂ થઇ જશે, એટલે ચંદ્રમાંનો ઉદય જ ગ્રહણમાં થશે.
ચંદ્રમા અને સૂર્યની વચ્ચે પૃથ્વીના આવી જવાને જ ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી એવી રીતે આવી જાય છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્રમાને આખો કે થોડોક ભાગ ઢંકાઇ જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યના કિરણોને ચંદ્રમા સુધી પહોંચવામાં અવરોધ લગાવી દે છે, ત્યારે પૃથ્વીના તે ભાગમાં ચંદ્રગ્રહણ દેખાય છે.
જ્યાં ચંદ્રગ્રહણ શરૂ થવાના પહેલા ચંદ્રમાનો ઉદય થશે ત્યાં ગ્રહણ શરૂ થવાથી લઇને પુરી થવા સુધી આખું દેખાશે જેમ કે ગૌહાટીમાં ચંદ્રમાં સાંજે 4 વાગે 56 મિનીટે ઉદય થશે. તો ત્યાં આખુ ગ્રહણ દેખાશે.
આજે થવાવાળુ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વાના કેટલાય દેશોમાં દેખી શકાશે. ગ્રહણનો કાળો પડછાયો સાંજે 5.18 વાગે ચંદ્રમાને સ્પર્સ કરી લેશે અને આંશિક ચંદ્રગ્રહણ શરૂ થઇ જશે. પૃથ્વીનો પડછાયો ધીરે ધીરે ચંદ્રમાને ઢાકતી જશે અને ત્યારબાદ સાંજે 6.21થી ચંદ્રમાને પૃથ્વીના પડછાયો પુરેપુરો ઢાંકી દેશે, અહીંથી શરૂ થશે પૂર્ણ ચંદ્રગ્રહણ.
આ પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 7 વાગેને 7.37 મિનીટ સુધી ચાલશે. 7.37થી પૃથ્વીનો પડછાયો ધીરે ધીરે ચંદ્રમાથી હટવા લાગશે અને 8 વાગેને 41 મિનીટ પર આખો ચંદ્રમાં પૃથ્વીની છાયાથી મુક્ત થઇ જશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ આસામ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, પૂર્વી પશ્ચિમ બંગાળમાં ચંદ્રોદયથી પહેલા શરૂ થઇ જશે.
આજે સાંજે 76 મિનીટ સુધી આકાશમાં સુપર બ્લડ મૂન દેખાશે, એટલે ચંદ્ર એકદમ લાલ રંગનો ચમકતો દેખાશે. ભારતમાં સાંજે 6 વાગેને 21 મિનીટથી 7 વાગીને 37 મિનીટ સુધી પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો દેખી શકાશે.
નવી દિલ્હીઃ આજે દોઢ સો વર્ષ બાદ આકાશમાં એક અનોખી ઘટના ઘટવા જઇ રહી છે. દોઢ સો વર્ષ બાદ આજે પૃથ્વી ચંદ્રમાની સૌથી નજીક હશે અને તે સૂર્ય અને ચંદ્રમાંની વચ્ચે આવશે. જે સમયે પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડશે અને તે હશે ચંદ્રગ્રહણ.