મધ્ય પ્રદેશ: મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગમાં 5ના મોત બાદ કર્ફ્યૂ, તપાસના આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jun 2017 02:50 PM (IST)
1
મધ્ય પ્રદેશના મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને ઈંટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે રાષ્ટ્રીય ખેડૂત મજદૂર સંધે કાલે પ્રદેશ બંધનું એલાન કર્યું છે.
2
ફાયરિંગની ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટની બેઠક બોલાવી છે અને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મંદસૌરમાં ખેડૂતો પોતાની પાકની વ્યવસ્થિત કીંમત મળી રહે તેને લઈને આંદોલન કરી રહ્યા છે.
3
મંદસૌર: મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના આંદોલન પર પોલીસના ફાયરિંગ બાદ પરિસ્થિતિ વણસી છે. પરિસ્થિતિની કાબૂમાં લેવા માટે મંદસૌરમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. પોલીસના ફાયરિંગમાં પાંચ ખેડૂતોના મોત થયા છે, જ્યારે ત્રણ ખેડૂતો ઘાયલ થયા છે.