✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની આ માંગોને મનાવવામાં સફળ રહ્યાં ખેડૂતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 09:14 AM (IST)
1

મુંબઇઃ માકપાનું ખેડૂત સંગઠન અખિલ ભારતીય ખેડૂત સભા દ્વારા નાસિકથી મુંબઇ સુધી કાઢવામાં આવેલા મોર્ચા બાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે આંદોલનકારી ખેડૂતોની મોટાભાગની માંગો માની લીધી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળની વચ્ચે 3 કલાક સુધી બેઠક ચાલી. સરકારના લેખિત આશ્વાસન બાદ આંદોલન સમાપ્ત થયું. સરકારનું કહેવું છે કે તેમને ખેડૂતોની 90 ટકા માંગ મંજૂર કરી લીધી છે. જાણો કઇ કઇ માંગો પર રાજી થઇ મહારાષ્ટ્ર સરકાર...

2

સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત લાભાર્થીઓને મળનારી 600 રૂપિયાની રકમ વધારવા અંગે સરકાર નિર્ણય કરશે. ખેડૂત સભાએ રકમ 2000 રૂપિયા કરવાની માંગ કરી છે.

3

ગૌચર જમીનના અધિગ્રહણને હટાવીને જમીન આદિવાસીઓના નામે કરવામાં આવશે, દેવસ્થાન ઇનામની જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના નામે તે જમીન કરવામાં આવશે. સરકાર આના માટે ખાસ કાયદો પણ લાવશે.

4

આદિવાસીઓના વન જમીન અધિકાર કાયદા અંતર્ગત જમીનના પટ્ટા આપવાનો નિર્ણય છ મહિનાની અંદર કરવામાં આવશે. આદિવાસીઓને 4 હેક્ટર સુધીની જમીનનો પટ્ટો આપવામાં આવશે.

5

કિસાનો પાસેથી ખરીદવામાં આવેલા દુધની કિંમત શેરડીના ધોરણે 70-30ના ફોર્મ્યૂલા પ્રમાણે નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર તરફથી જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂત ઇચ્છે કે દુધની ખરીદીનું મૂલ્ય 40 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે.

6

જુના અને ફાટી ગયેલા રેશન કાર્ડને છ મહિનામાં બદલવામાં આવશે. સરકારનું કહેવું છે કે આદિવાસી વિસ્તારોમાં આ કામ ત્રણ મહિનામાં પુરુ થશે. અનાજ યોગ્ય લાભાર્થીને ના મળવાની ફરિયાદોનો નિપટારો મુખ્ય સચિવની અધ્યક્ષતા વાળી સમિતિ કરશે.

7

નદી જોડો પરિયોજના અંતર્ગત નાર-પાર અને દમન ગંગા પિંજાલ નદીનું પાણી અહેમદનગર અને મરાઠાવાડમાં મોકલવાન વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નાસિકના સુરગાણા તાલુકાના 31 કોલ્હાપુર પદ્ધતિનાં બંધોને નદી જોડો પરિયોજનામાં સામેલ કરવામાં આવશે.

8

વિદર્ભ અને મરાઠાવાડમાં કીડા પડવાથી કપાસ અને અનાજનો પાકમાં થનારા નુકશાનની ભરપાઇની રકમ રાજ્યના બધા 1162 રેવન્યૂ મંડળોમાં વહેંચવામાં આવશે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનની ભરપાઇ તાત્કાલિક કરવામાં આવશે.

9

કૃષિ ઉપજની ખર્ચનો દોઢ ગણો ભાવ આપવા સરકાર પુરેપુરા પગલા ભરશે. સાથે રાજ્ય મૂલ્ય આયોગની સમિતિમાં જુદાજુદા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. ઉપરાંત 50 ટકા અનાજ નાફેડના માધ્યમથી ખરીદવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની આ માંગોને મનાવવામાં સફળ રહ્યાં ખેડૂતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.