ભીમા કોરેગાંવ હિંસાઃ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, મુંબઇ-પૂણે સહિત અનેક શહેરો પ્રભાવિત
હવે આજે મહારાષ્ટ્રમાં થયેલી હિંસાનો પડઘો આજે સંસદમાં પણ પડી શકે છે, કેમકે વિપક્ષો ગઇકાલથી જ સરકાર પર હુમલો કરી રહ્યાં છે, જ્યારે હિંસા અને બંધના એલાન બાદ સીએમ ફડણવીસે ગૃહમંત્રી રાજનાથ સિંહને માહિતી આપી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફડણવીસે પરિસ્થિતિ પર નિયંત્રણનો દાવો કર્યો છે અને વધારે સુરક્ષાબળની માંગ કરી છે.
જે સમયે શોર્ય દિવસનો કાર્યક્રમ થઇ રહ્યો હતો તે મંચ પર ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી નેતા ખાલિદ પણ હાજર હતા. બન્ને પર ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં પૂણેના થાણેમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખરેખર, આ આખો ઝઘડો 29 ડિસેમ્બરે થયો હતો, 29 ડિસેમ્બરે પૂણેના વડુ ગામમાં દલિત જાતિના ગોવિંદ મહારાજની સમાધિ પર હુમલો થયો હતો, જેનો આરોપ મિલિંદ એકબોટેના સંગઠન હિન્દુ એકતા મોર્ચા પર લાગ્યો અને એફઆઇઆર નોંધાઇ. 1લી જાન્યુઆરીએ દલિત સમાજના લોકો પૂણેના ભીમા કોરેગાંવમાં શોર્ય દિવસ મનાવવા ભેગા થયા અને તે દરમિયાન સવર્ણો અને દલિતનો વચ્ચે ઘર્ષણ થયું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને પછી જોતજોતામાં હિંસા ભડકી ગઇ હતી.
આ હિંસાથી મુંબઇના ઘાટકોપર અને ચેમ્બુરમાં પ્રદર્શન થઇ રહ્યાં છે. મુંબઇથી નાસિક આવનારો રસ્તો પ્રભાવિત છે. મુંબઇથી એક્સપ્રેસ વે પર પહોંચવું મુશ્કેલીભર્યું બન્યું છે, કેમકે પૂણે જવાનો રસ્તો ચેમ્બુરથી થઇને નીકળે છે. આ ઉપરાંત બંધના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
બંધના એલાન બાદ સવારે સૌથી પહેલું સંકટ બાળકોની સ્કૂલ પર આવ્યું, હિંસા દરમિયાન થયેલી તોડફોડ બાદ સ્કૂલ બસ એસોસિએશને રોડ પર બસ ઉતારવાની ચોખ્ખી ના પડી દીધી કે સ્કૂલ બસે નહીં ચાલે, જોકે, સરકારે હજુ સુધી સ્કૂલો બંધ રાખવાની કોઇ જાહેરાત કરી નથી.
મુંબઇઃ મહારાષ્ટ્રમાં પૂણેના ભીમાં કોરેગાંવમાં થયેલી હિંસાના વિરોધમાં આજે દલિત સંગઠનોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. આ બંધથી મુંબઇ અને પૂણે સહિત રાજ્યના અનેક શહેરો પ્રભાવિત થઇ રહ્યાં છે, અને બંધની અસરથી મહારાષ્ટ્ર ઠપ્પ થવાની પુરેપુરી સંભાવના છે.