જાણીતા ફિલ્મ નિર્માતાએ 13 વર્ષ બાદ પરત કર્યો પદ્મશ્રી એવોર્ડ, મોદી સરકારના આ કામથી છે નારાજ, જાણો વિગત
શર્માએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અમારું સન્માન કરે તેમ ઈચ્છીએ છીએ તેથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. ઉત્તર પૂર્વ રાજ્યો સંયુક્ત રીતે જ્યારે કોઈ વસ્તુ સરકાર સમક્ષ રજૂ કરે ત્યારે તેના પર વિચાર કરવો જોઈએ. જો સરકાર આમ ન કરે તો અમે વિરોધ વ્યક્ત કરીએ તે સ્વાભાવિક છે.
2006માં મણિપુરી સિનેમા અને ફિલ્મોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામે તેને પદ્મશ્રીથી સન્માન્યા હતા. શર્મા મણિપુરના જાણીતા ફિલ્મકાર તથા કંપોઝર છે. તેમણે કહ્યું કે, મણિપુરવાસીઓને સુરક્ષાની જરૂર છે. 500થી વધારે સભ્યોવાળા ગૃહમાં રાજ્યના એક કે બે જ સભ્યો છે. આ સ્થિતિમાં સંસદની અંદર દેશના ઉત્તર પૂર્વ રાજ્યોનો અવાજ કોણ સાંભળશે.
નવી દિલ્હીઃ સરકારે 2006માં ફિલ્મ નિર્માતા અરિબમ શ્યામ શર્માને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા. જેના 13 વર્ષ બાદ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં તેમણે પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે. 83 વર્ષીય શર્માએ જાહેરાત મણિપુરના ઇમ્ફાલમાં કરી હતી.