ક્રિકેટના મેદાનમાં ભલભલા બોલરોના છોતરા કાઢી નાંખનાર આ ભારતીય ક્રિકેટર ટૂ વ્હીલર વાહનચાલકોને જોઈ કેમ ડરી જાય છે, જાણો કારણ

તેણે કહ્યું, ગુણવત્તાનું સ્તર જાળવી રાખવામાં આવે તે હેલમેટ માટે જરૂરી છે. માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખી હેલમેટનો ઉપયોગ કરવા માટે સચિન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે.
માસ્ટર બ્લાસ્ટરે લખ્યું છે કે, હલકી ગુણવત્તાના હેલમેટ બનાવતાં અને નકલી આઈએસઆઈ માર્કા સાથે તેને વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હું તમારા મંત્રાલયને અપીલ કરું છું. જ્યારે અમે રમતા હોઈએ ત્યારે ઉચ્ચ ગુણવત્તાના સુરક્ષા ઉપકરણો કેટલા જરૂરી હોય છે તે હું એક ક્રિકેટર હોવાના કારણે સારી રીતે સમજું છું.
સચિનનું કહેવું છે કે સરકાર નકલી આઈએસઆઇ હેલમેટ બનાવનારાને દંડ પણ કરી રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
ટૂ વ્હીલર વાહન ચાલકો સસ્તાના ચક્કરમાં હલકી ગુણવત્તાવાળા હેલમેટ ન ખરીદે તે માટે તેણે ઉચ્ચ ગુણવત્તાના હેલમેટના ભાવ ઓછા કરવાની પણ અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકર ટૂ વ્હીલર વાહનો ચલાવતી વખતે સુરક્ષા દાખવવા માટે ઉપયોગમાં લેવાતા હલકી ગુણવત્તાવાલા હેલમેટ બનાવતાં લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં સચિને લખ્યું છે કે, ટૂ વ્હીલર વાહનોની વધતી દુર્ઘટનાને લઇ સુરક્ષાના સાધન ઉચ્ચ સ્તરના હોય તે જરૂરી છે.
સચિને ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દેશના 70 ટકા વાહન ચાલકો નકલી હેલમેટનો ઉપયોગ કરી રહ્યા છે. જે ઘણી ખતરનાક સ્થિતિ છે. વર્ષ 2016માં દેશમાં 30 ટકા દુર્ઘટના વાહનચાલકો સાથે થઈ છે. આ સ્થિતિમાં નકલી હેલમેટ ટૂ વ્હીલર વાહનચાલકો માટે ખતરનાક છે. જે ચાલકોને માથામાં થનારી ઇજાથી બચાવી શકતી નથી.