✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માયાવતીનું અપમાન એટલે મારૂ અપમાન: અખિલેશ યાદવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2019 03:58 PM (IST)
માયાવતીનું અપમાન એટલે મારૂ અપમાન: અખિલેશ યાદવ
1

અખિલેશ યાદવે કહ્યું કે, સપા-બસપાનાં ગંઠબંધનનાં બીજ ત્યારે રોપાયા જ્યારે ભાજપે બસપાનાં રાજ્યસભાનાં ઉમેદવારને હરાવવાના પ્રયાસ થયા હતા. પણ હવે ભાજપનાં વિજયરથને રોકવા માટે અમે ગમે તે કરીશું. મેં આ પહેલા પણ કહ્યું કે, બસપા સાથે ગઠબંધન કરવા માટે બે ડગલા પાછળ ચાલવા માટે પણ તૈયાર છું. બહુજન સમાજ પાર્ટી સુપ્રિમો માયાવતીએ એવો દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં ગઠબંધન થવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ જશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને ધૂળ ચાંટતા કરીશું.

2

માયાવતીએ કહ્યું કે, 1990નાં અરસામાં ભાજપનાં કારણે લોકોને ખુબ સહન કરવું પડ્યુ હતું. 1993માં બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો કાશીરામ અને સમાજવાદી પાર્ટીને સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ સાથે મળી ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશની ચૂંટણી જીત્યા હતા. બસપા ડો. બાબાસાહેબ આંબેડકરનાં રસ્તે ચાલવા માંગે છે અને એ પરિણામ લાવવા માંગે છે. માયાવતી અને અખિલેશ યાદવનાં ટેકેદારોએ અબકી બાર માયા ઓર અખિલેશનાં નારા લગાવ્યા હતા.

3

લખનઉ: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ભાજપનો વિજય રથ રોકવા માટે ગઠબંધન કર્યું છે. ઉત્તરપ્રદેશનાં રાજકારણમાં માયાવતી અને અખિલેશને લોકો ફઇ-ભત્રિજા તરીકે ઓળખે છે. ઉત્તરપ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે. જેમાં સપા-બસપા વચ્ચે 38-38 બેઠકોની ડીલ થઇ છે જ્યારે બે બેઠકો કોંગ્રેસ માટે તેમણે અલગ રાખી છે. સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે પત્રકારોને સંબોધતા કહ્યું કે, બસપા સુપ્રીમો માયાવતીજીનું અપમાન એટલે મારુ અપમાન છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • માયાવતીનું અપમાન એટલે મારૂ અપમાન: અખિલેશ યાદવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.