✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડૂત આંદોલન વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 09:11 PM (IST)
ખેડૂત આંદોલન વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
1

નવેંબરમાં આવનાર નવા પાકમાં આ ભાવ વધારો લાગું થશે. જો કે આ પાક આવતા વર્ષે એપ્રીલ –મે મહિનામાં આ પાકની ખરીદી થશે.

2

નવી દિલ્હી: ખેડૂતોની નારાજગી વચ્ચે કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રવી પાક માટે નવા ટેકાના ભાવ પર મોહર લગાવી હતી. મોદી સરકારે ઘઉં અને પાંચ અન્ય રવી પાકોના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લીધો છે.

3

બજેટમાં મોદી સરકેર ખેડૂતોને તેમની લાગત કિંમતમાં ઓછામા ઓછા દોઢ ગણો ભાવ આપવાનું વચન આપ્યું હતું. આ વાયદાને પૂર્ણ કરતા તેઓએ આ વર્ષે જુલાઈમાં ડાંગર સહિત તમામ ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરના ખેડૂતોને કુલ 62 હજાર 635 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

4

ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ 105 વધારી વર્તમાન ભાવ 1735થી વધારીને 1840 કરાયા છે. ચણાના 220 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારીને 4620 રૂપિયા, મસૂરના 225 રૂપિયા વધારીને પ્રતિ ક્વિંટલ 4475 રૂપિયા હશે. સરસોના પ્રતિ ક્વિંટલ 200 રૂપિયા (4200) અને સુરજમુખીના ટેકાના ભાવ 845 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરાયા છે. જે 4100 થી વધીને 4945 રૂપિયા પ્રતિ ક્વિંટલ થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ખેડૂત આંદોલન વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, રવી પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.