મોદી સરકાર ટૂંકમાં કરશે ધડાકો, દરેક નાગરિકને મળશે ફિક્સ પગાર!
પ્રોફેસર ગાય અનુસાર મેં મારી દરખાસ્તમાં અમીર-ગરીબ બધા માટે એક નક્કી આવકની વાત કરી છે. પ્રોફેસર ગાય સમગ્ર વિશ્વમાં યૂનિવર્સલ બેસિક આવકનં પુરજોરથી સમર્થન કરી રહ્યા છે.
પ્રોફેસર ગાય સ્ટેન્ડિગે સંકેત આપ્યા કે સરકાર તેને તબક્કાવાર લાગુ કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકાર મધ્ય પ્રદેશની એક પંચાયતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આવી સ્કીમ પર કામ કરી રહી હતી, જ્યાં ખૂબ જ સકારાત્મક પરિણામ આવ્યા હતા.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં લોકોને મોટી ગિફ્ટ આપી શકે છે. કહેવાય છે કે, ટૂંકમાં જ જરૂરિયાતમંદ લોકોને દર મહિને આવક તરીકે એક ફિક્સ રકમ મળશે. સૂત્રો અનુસાર, આર્થિક સર્વે અને સામાન્ય બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. જોકે સરકારી સૂત્રોએ બજેટમાં આ સ્કીમ અંગે કોઈ ટીપ્પણી કરી નથી.
આ યોજના અંતર્ગત દરેકના બેંક ખાતામાં 500 રૂપિયા આપવામાં આવશે. તેનાથી દેશભરમાં અંદાજે 20 કરોડ જરૂરિયાતમંદ લોકોને લાભ થશે.
હિન્દી ઓનલાઈન પોર્ટલ નવભારત ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર સરકાર જરૂરિયાતમંદ લોકો માટે આ સ્કીમ લાવશે, જેની પાસે કમાણીનું કોઈ સાધન નથી.
આ દરખાસ્ત લંડન યૂનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે તૈયાર કરી છે. જિનીવાથી વાતચીતમાં તેમણે દાવો કર્યો કે મોદી સરકાર સાથે જોડાયેલ એક જવાબદાર વ્યક્તિએ કન્ફર્મ કર્યું છે કે, બજેટમાં આ જાહેરાત થઈ શકે છે.