રામ મંદિર પર મોહન ભાગવતે કહ્યું- હવે ધીરજ નહી, કાયદો બનાવે સરકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2018 08:12 PM (IST)
1
મોહન ભાગવતે કહ્યું, મારા મનની ઈચ્છા છે, મહાપુરૂષોની ઈચ્છા છે. સામાન્ય લોકોની ઈચ્છા છે કે ઝડપથી રામ મંદિર બને. તેમણે કહ્યું, લાગે છે કે, કોર્ટની પ્રાથમિકતામાં મંદિર છે જ નહી. સમાજ માત્ર કાનૂનથી ચાલે છે અને ન્યાયમાં વિલંબ પણ અન્યાય બરાબર છે.
2
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદે રવિવારે મોટી ધર્મસભા યોજી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસભાને સંબોધિત કરી હતી. મોહન ભાગવતે કહ્યું, એક વર્ષ પહેલા મે ધીરજ રાખવા કહ્યું હતું, પરંતુ હવે ધીરજ ખુટી ગઈ છે.
3
મોહન ભાવવતે કહ્યું, એક વખત આખા દેશને રામ મંદિર પર એકસાથે આવવું જોઈએ.