MP: ભોપાલની ગોવિંદપુરા સીટ બની BJP માટે માથાનો દુઃખાવો, ચૂંટણી લડવા અડગ છે પૂર્વ CM
મધ્યપ્રદેશમાં ભોપાલની ગોવિંદપુરા સીટ બીજેપી માટે સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવે છે. બાબુલાલ ગૌર ગોવિંદપુરાથી સતત 10 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ વખતે તેઓ 11મ વખત ગોવિંદપુરાથી ચૂંટણી જંગ જીતવા તત્પર છે પરંતુ ટિકિટને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબુલાલ ગૌર તેમને 11મી વખત મોકો મળે તેમ ઈચ્છે છે અથવા તેમની પુત્રવધુ કૃષ્ણા ગૌરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. બંનેએ તેમની આશા છોડી નથી. જો તેમને ટિકિટ ન ફાળવવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાનો ઈશારો કરી ચુક્યા છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની ગોવિંદપુરા સીટ બીજેપી માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. બીજેપીએ તેના પ્રથમ લિસ્ટમાં ગોવિંદપુરા સીટ પરથી કોઈપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ સીટ પરથી પૂર્વ સીએમ બાબુલાલ ગૌર ધારાસભ્ય છે. ગૌરે આ પહેલા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ હવે તેઓ થોડા ઢીલા પડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -