✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છત્તીસગઢના દંતેવાડામાં ભીષણ અથડામણ, 3 મહિલા નક્સલીઓ સહિત 7 ઠાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 09:30 AM (IST)
1

માહિતી પ્રમાણે સુરક્ષાદળોને આ વિસ્તારમાં ડઝનેક નક્સલીઓ હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ એસટીએફ અને સીઆરપીએફની ટીમો તરતજ ત્યાં પહોંચી અને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. સુરક્ષાદળો કંઇક કરે તે પહેલા જ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં જવાનોએ ચાલાકી વાપરીને સાત નક્સલીઓને ઠાર મારી દીધા હતા.

2

માહિતી પ્રમાણે માર્યા ગયેલા 7 નક્સલીઓમાં ત્રણ મહિલાઓ અને 4 પુરુષ સામેલ છે. મૃતક નક્સલીઓની પાસે INSAS રાઇફલ, બે થ્રી નૉટ થ્રી રાઇફલ, એક 12 બૉર રાઇફલ અને બીજા કેટલાક હથિયારો મળી આવ્યા છે.

3

4

અથડામણની આ ઘટના દંતેવાડામાં તિમેનારની પહાડીઓની પાછળ ગંગાલુર વિસ્તારમાં થઇ છે. દંતેવાડા એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં ગુરુવારે સવારે 6 વાગે આ નક્સલી માર્યા ગયા છે. દંતેવાડાના એએસપી નક્સલ ઓપરેશન જી.એન.બધેલે આની સ્પષ્ટતા કરી છે.

5

નવી દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓની સાથે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 7 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણ રાજ્યમાં બીજાપુર અને દંતેવાડા જિલ્લાની બોર્ડર પર થઇ, જેમાં પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી કરી અને 7 નક્સલીઓને ઠાર મારી દીધા હતા. સાથે સ્થળ પરથી પોલીસને મોટા જથ્થામાં નક્સલીઓના હથિયારો પણ મળી આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • છત્તીસગઢના દંતેવાડામાં ભીષણ અથડામણ, 3 મહિલા નક્સલીઓ સહિત 7 ઠાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.