નીતિશે નામ લીધા વિના BJP પર નિશાન સાધ્યું, કહ્યું- ‘મતદારોને જાતિ-ધર્મના નામે વિભાજીત કરવામાં આવી રહ્યાં છે’

સોશ્યલ મીડિયા પર ખરાબ શબ્દોના પ્રયોગ પર નીતિશે કહ્યું, ‘’સોશ્યલ મીડિયા દ્વારા સમાજમાં પ્રેમ અને સદભાવના અને સકારાત્મકતાના વિચારોની જગ્યાએ સંઘર્ષ અને તનાવનો માહોલને વધારવામાં આવી રહ્યો છે.’’ આ કાર્યક્રમમાં નીતિશ કુમારની સાથે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાસ પણ હાજર હતા.
નીતિશ કુમારે કહ્યું કે, ‘’મે જે પી નારાયણ અને વી પી સિંહની સાતે કામ કર્યું છે. મે તેમની પાસેથી સખત મહેનત કરવાનું શીખ્યું છે’’
તેમને કહ્યું ‘’મને પરવાહ નથી કે મને કોન વૉટ આપશે અને કોન નહીં, પણ મતદારોને વિભાજિત કરવા માટે સમાજમાં સંઘર્ષનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.’’
નીતિશ કુમારે કહ્યું કે મત મેળવવા માટે જાતી અને ધર્મના આધાર પર મતદારોનું વિભાજન કરીને સમાજમાં સંઘર્ષનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. નીતિશ કુમારે આ નિવેદન પૂર્વ વડાપ્રધાન વી પી સિંહની 87મી જયંતીના પ્રસંગે આપ્યું હતું.
પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નામ લીધા વિના પોતાની સહયોગી પાર્ટી બીજેપી પર નિશાન સાધ્યું છે.