✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાલિકા ગૃહ રેપ કાંડ પર પ્રથમ વખત બોલ્યા નીતિશ, કહ્યું- 'દોષિતોને છોડવામાં નહીં આવે'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2018 03:37 PM (IST)
1

મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓના ચક્કરમાં સમાજ ન પડે. કોઈ વ્યવસ્થાની કમર ન તોડે. આરોપીઓને કાયદાની કોર્ટમાં ઊભા કરીશ અને દોષિતોને સજા અપાવીશ.

2

નીતિશ કુમારે કહ્યું, સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સરકારે અટોર્ની જનરલને કહ્યું છે કે હાઈકોર્ટની દેખરેખમાં તપાસ થાય. નીતિશકુમારે કહ્યું કે આવી ઘટના ભવિષ્યમાં ન થાય તે માટે પારદર્શક તંત્ર બનાવવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે 'પીડિત બાળકીઓના મનમાં ખુબ પીડા છે. કેટલાક લોકો માનસિક રીતે વિકૃત હોય છે, જે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. જ્યાં સુધી હું છું, સમાજસુધારનું કામ કરતો રહીશ. હું જ્યાં સુધી રહીશ, કાયદાનું રાજ રહેશે.'

3

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મુઝફ્ફરપુર બાલિકાગૃહમાં થયેલા શારીરિક શોષણ અને દુષ્કર્મની ઘટનાને શર્મસાર ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ ઘટનાથી ખુબ પીડા થઈ છે. નીતિશકુમારે કહ્યું કે સિસ્ટમમાં ખામીના કારણે આવું થાય છે. અમે તમામ વાતની જાણકારી લીધી છે. તેમણે બિહારના લોકોને ખાતરી આપતા કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં.

  • હોમ
  • India-news
  • દેશ
  • બાલિકા ગૃહ રેપ કાંડ પર પ્રથમ વખત બોલ્યા નીતિશ, કહ્યું- 'દોષિતોને છોડવામાં નહીં આવે'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.