મા વૈષ્ણો દેવીની યાત્રા પર નિયંત્રણ, રોજ કેટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, જાણો વિગતે

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ટ્રિબ્યૂનલે આ ઓર્ડર દેવી ધામની આસપાસ ધાર્મિક પર્યટનને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. ગત વર્ષે પણ NGTએ શ્રાઈન બોર્ડના CEO સમક્ષ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (MSW) અને સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STPs)ને લઈને રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતું.
આ ઉપરાંત NGTએ પ્રદૂષણને ધ્યામાં રાખીને વૈષ્ણો દેવીમાં કોઈપણ પ્રકારનાં નિર્માણ પર રોક લગાવી દીધી છે. જો કે કન્સ્ટ્રકશન પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. વૈષ્ણો દેવીમાં અનેક વખત લેન્ડ સ્લાઈડિંગની ઘટનાઓ ઘટે છે.
આ સિવાય વધતા પ્રદૂષણના લીધે વૈષ્ણો દેવીમાં કોઇપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આપને જણાવી દઇએ કે વૈષ્ણો દેવીમાં કેટલીય વખત લેન્ડ સ્લાઇડિંગની ઘટના બને છે.
જમ્મુ-કાશ્મીર: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ માતા વૈષ્ણો દેવીના દર્શનને લઇ એક અગત્યનો આદેશ જાહેર કર્યો હતો. NGTએ આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે હવે એક દિવસમાં માત્ર 50,000થી વધુ લોકોને ઉપર જવા દેવાશે નહીં. આ આદેશ સોમવારથી જ લાગૂ કરી દેવામાં આવશે.
NGTએ 50,000થી વધુ લોકોને અહીં જવા પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું હતું કે, જો 50,000થી વધુ લોકો હશે તો તેમને અર્ધકુંવારી કે પછી કટરાથી જ રોકી દેવામાં આવશે. મા વૈષ્ણો દેવીના દરબારમાં 50,000 લોકોની જ ક્ષમતા છે અને તેનાથી વધુ લોકોને અહીં જવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે છે. તેના લીધે આ પ્રતિબંધ મૂકાયો છે. જોકે હજી સુધી એ જાણી શકાયનું નથી કે આ પ્રતિબંધ કયા સુધી લાગૂ રહેશે.