✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનની હલકટાઈઃ ગુજરાતમાંથી પકડાયેલી બોટ, 9 પાકિસ્તાની અંગે આપ્યું કેવું વાહિયાત નિવેદન ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2016 10:18 AM (IST)
1

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીઝ ઝકરીયાએ સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનની કોઈ બોટ કે માછીમારો ગાયબ છે જ નહીં તે જોતાં ભારતે તેમને પકડ્યા હોય એવી કોઈ શક્યતા નથી અને ભારતનો દાવો સાવ ખોટો છે.

2

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના સમુદ્ર પાવક નામના જહાજે રવિવારે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં ઘૂસેલી એક પાકિસ્તાની બોટને ઝડપી 9 લોકોની ધરપકડ કરી છે ત્યારે પાકિસ્તાને રાબેતા મુજબ જ આ મુદ્દે પણ નફફટાઈ શરૂ કરી છે.

3

પાકિસ્તાને આ મુદ્દે સાવ હાથ અધ્ધર કરી દેતાં કહ્યું છે કે ભારત સાવ ખોટું બોલે છે અને પાકિસ્તાનની કોઈ બોટ ભારતે પકડી જ નથી. પાકિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાનની કોઈ બોટ કે માછીમારો ગાયબ નથી તેથી તેમને પકડવાનો પ્રશ્ન જ નથી.

4

આ તમામ પાકિસ્તાનીઓની હાલમાં પોરબંદર ખાતે પૂછપરછ કરાઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના પીઆરઓ અભિષેક મતિમાને જણાવ્યું હતું કે સવારે 10.15 કલાકે આ બોટને ઝડપી લેવાઈ હતી અને તેને પોરબંદર લઈ જવાઈ છે.

5

ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે સવારે ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. પોરબંદર ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળના જહાજ પાવક સમુદ્રે બોટને ઝડપી લઈને નવ પાકિસ્તાનીને પકડ્યા છે.

6

પાકિસ્તાનની આ આદત છે અને તેણે ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને આતંકવાદી કેમ્પ્સનો સફાયો કરીને 50 કરતાં વધારે આતંકવાદીઓને ઠાર કર્યા તે મુદ્દે પણ આવું જ નિવેદન આપીને ઓપરેશનનો ઈન્કાર કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાકિસ્તાનની હલકટાઈઃ ગુજરાતમાંથી પકડાયેલી બોટ, 9 પાકિસ્તાની અંગે આપ્યું કેવું વાહિયાત નિવેદન ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.