✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમૃતસરમાં દશેરા પર મોટી ટ્રેન દુર્ઘટના, 61ના મોત, અનેક લોકો ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2018 08:25 PM (IST)
1

ઘટનાની જાણ થતાં રેલવે પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર થઈ છે. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે.

2

અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 61થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી, ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી. અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

3

પોલીસે જણાવ્યા અનુસાર 50 લોકોના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રેલવે ટ્રેક પાસે ઉભા રહીને દશેરાનો ઉત્સવમાં મગ્ન હતા. ત્યારે પાટા પર બન્ને બાજુથી ટ્રેનો આવી ગઈ, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા.

4

આ ઘટના પર વડાપ્રધાન મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તહેવાર સમયે આવી દુર્ઘટના ખૂબજ દુખભરી છે. અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જાણ થતા રેલવે મંત્રી પીયૂષ ગોયલ પોતાની અમેરિકા યાત્રા કેન્સલ કરી પરત આવી રહ્યા છે.

5

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ખુલ્લી રાખવામાં આવે. મુખ્યમંત્રી ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે ઘાયલોને મફત સારવારની પણ જાહેરાત કરી છે.

6

  • હોમ
  • India-news
  • દેશ
  • અમૃતસરમાં દશેરા પર મોટી ટ્રેન દુર્ઘટના, 61ના મોત, અનેક લોકો ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.