✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોબાઈલની કોન્ટેક્ટ બુકમાં અચાનક દેખાવા લાગ્યો આધાર હેલ્પલાઈન નંબર, UIDAIએ શું આપ્યો જવાબ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2018 06:42 PM (IST)
1

અચાનક જ દેખાતા યૂઆઈડીએઆઈના હેલ્પલાઇન નંબર અંગે આધાર ઓથોરિટીએ ટ્વિટ પર એક નિવેદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ 1800-300-1947 નંબર જૂનો થઈ ચૂક્યો છે, ઓથોરિટીએ લખ્યું કે આ ટોલ ફ્રી નંબર બે વર્ષથી બંધ થઈ ચૂક્યો છે. અને તેના બદલે હવે માત્ર 1947 નંબર કામ કરી રહ્યો છે.

2

અગાઉના હેલ્પલાઇન નંબર 800-300-1947ને બદલીને 1947 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નંબર એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં જ સેવ મળી રહ્યો છે.

3

આધાર બનાવતી સંસ્થાએ આ પણ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા આ મામલે સામાન્ય નાગરિકોને ભ્રમિત કરવા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. UIDAI એ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે નંબર લોકોના ફોનમાં સેવ છે, તે છેલ્લા 2 વર્ષથી જ ઇનવેલિડ છે. UIDAIનો નવો ટોલ ફ્રી નંબર 1947 છે.

4

નવી દિલ્હી: શુક્રવારે સવારે હજારો સ્માર્ટફોન યૂઝર્સના ફોન કોન્ટેક્ટ લીસ્ટમાં આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈનો ટોલ ફ્રી નંબર 1800-300-1947 અચાનક ડિફોલ્ટ તરીકે સેવ થયેલો જોવા મળ્યો. પોતાની ફોન બુકમાં આધારનો ટોલ ફ્રી નંબર સેવ થયેલો જોઇને સ્માર્ટફોન યૂઝર્સને શૉક લાગ્યો.જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાની પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવતાં આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોબાઈલની કોન્ટેક્ટ બુકમાં અચાનક દેખાવા લાગ્યો આધાર હેલ્પલાઈન નંબર, UIDAIએ શું આપ્યો જવાબ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.