મોદી ચૈન્નાઇ, શાહ બેગ્લુરુંમાં, વાંચો બીજેપીના કયા નેતા ક્યાં કરશે ઉપવાસ
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર વિપક્ષના હોબાળાના કારણે ચર્ચામાં રહ્યું, હવે મોદી સરકાર આને લઇને આજે દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ ઉપવાસ રાખી રહી છે. વડાપ્રધાન મોદી પણ આ ઉપવાસમાં ભાગ લેશે. મોદી ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સરકારના બધા મંત્રી વિપક્ષના વિરુદ્ધ એટેક કરશે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે કયા નેતા ક્યાં ઉપવાસ રાખી રહ્યાં છે.
પેટ્રૉલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન - નવી દિલ્હી, રેલવે મંત્રી પિયુષ ગોયલ - નવી દિલ્હી, વિનય સહ્યબુદ્ધે - નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, મેનકા ગાંધી અને સાંસદ મિનાક્ષી લેખી - દિલ્હીના હનુમાન મંદિરમાં ઉપવાર રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી- ડિફેન્સ એક્સ્પૉમાં ભાગ લેશે, ચેન્નાઇ, બીજેપી અધ્યક્ષ અમિત શાહ - કર્ણાટકના હુબલીમાં ઉપવાસ રાખશે, ગૃહ મંત્રી રાજનાથ સિંહ - નવી દિલ્હી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ - નવી દિલ્હીમાં ઉપવાસ રાખશે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ - પટના, ગિરિરાજ સિંહ - બિહારના નવાદા, રાધા મોહન સિંહ - મોતિહારી, મુખ્તાર અબ્બાસ નકવી - રાંચી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ - ચૈન્નાઇ, માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર - બેગ્લુરું, મહેશ શર્મા - નોઇડામાં ઉપવાસ કરશે.
જેપી નડ્ડા - વારાણસી, થાવરચંદ ગેહલોત - ઇન્દોર, વિરન્દ્ર સિંહ - હરિયાણાના જીન્દમાં, કેજે એલ્ફોન્સ - કેરાલા, એમ જે અકબર - વિદિશા, નારાયણ રાણે - મહારાષ્ટ્ર, ઓપી માથુર - ઓડિશા, ભૂપેન્દ્ર યાદવ - અજમેરમાં ઉપવાસ રાખશે.