મન કી બાતઃ PMએ સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલ કરી
મોદીએ કેશ ટ્રાન્જેક્શનના સ્થાને ડિજીટલ ચુકવણી કરી કાળા નાંણા અને ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ લડાઇ માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે લોન્ચિંગના બે મહિનમાં ભીમ એપ 1.5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી. જો સવા સો કરોડ નાગરિક સંકલ્પ કરે તો 2.5 કરોડ ડિજીટલ ટ્રાન્જેક્શન માટે આપણે એક વર્ષ રાહ જોવી નહીં પડે. મહીનામાં લક્ષ્ય મેળવશે. તમેે બાળકોની સ્કૂલ ફી, રેલવે-હાઇ યાત્રાની ટિકીટ બુકીંગ અને અન્ય દરેક લેવડ-દેવડ ડિજીટલ રીતે કરી શકો છો. તેમણે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પણ આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ કહ્યું કે ન્યુ ઇન્ડિયાનું સપનું સવા સો કરોડ લોકોના સંકલ્પથીજ પૂરુ થશે. વડાપ્રધાને દેશસેવા કેશલેશ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ થઈ શકે છે એમ જણાવતા દેશના લોકોને આવતા મહિનામાં 2.5 કરોડ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્યાંક હાંસલ કરવા અપીલ કરી છે. મોદીએ કહ્યું કે દરેક વસ્તુ બજેટ અથવા સરકારી ધન સાથે જોડાયેલું નથી. દરેક નાગરિક જવાબદારી અને ફરજ નિભાવવાનો સંકલ્પ લે જેથી ન્યુ ઇન્ડિયાનું સપનુ સરળતાથી પૂરુ થશે.
સાથે લોકોને મહાત્મા ગાંધીના સંગઠાત્મક કૌશલ્ય યાદ કરવા માટે પણ કહ્યું.મોદીએ કહ્યું કે હતાશાથી પીડિત લોકોને શરમના કારણે પોતાનાં અનુભવ જણાવતા નથી. આપણે સ્થિતિ બદલવી જોઇએ.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 11 કલાકે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું. મોદીએ આ 30મી વખત મન કી બાત કરી હતી. તેમણે કહ્યું કે, ન્યૂ ઇન્ડિયાની ટીકા થવી યોગ્ય છે, પરંતુ જો 125 કરોડ દેશવાસી સંકલ્પ કરે તો આ મુશ્કેલ નથી. જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરું તો ન્યૂ ઇન્ડિયાનું સપનું પૂરું થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -