મિત્રો...: સાંજે આટલા વાગ્યે પીએમ મોદી દેશને કરી શકે છે સંબોધન
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નોટબંધી પર બીજી વખત દેશને સંબોધિત કરશે. સુત્રોની જાણકારી મુજબ સાંજે પાંચ વાગે પ્રસારણ થશે. જેમાં ઘણી યોજનાઓની જાહેરાતની પણ સંભાવનાઓ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા પર પીએમ દેશની જનતાનો આભાર વ્યક્ત કરશે. આ સાથે જ 50 દિવસમાં સરકાર તરફથી શુ પગલા લેવામાં આવ્યા તેની પણ જાણકારી આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્ર સરકાર ખેડૂતો, બેરોજગાર યુવાનો, બીપીઓલ યોજના અને પેંશન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંબોધનમાં તેના3 પર પણ કોઈ જાહેરાત કરી શકે છે.
8 નવેંબરના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કરી કાળાનાણા પર રોક લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. લોકોને પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30 ડિસેંબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેનો સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે અવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નોટબંધીને લઈને કોઈ મોટી જોહેરાત કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -