ગરીબ-નીચલા મધ્યમ વર્ગનાં લોકોને સસ્તુ ઘર આપવા મોદીની યોજના, જાણો નાણાં ક્યાંથી આવશે?
નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગવે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગનાં લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે કમર કસી છે. આ યોજના હેઠળ સરકાર બેનામી સંપત્તિઓ પર તવાઈ લાવશે અને બેનામી સંપત્તિઓની હરાજી કરીને તેમાંથી જે રકમ ઉભી થશે તેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપશે.
સરકાર બેનામી લેવડ દેવડ કાયદા 1988ને કડકાઈથી લાગુ કરશે. તેમણે કોંગ્રેસ પર પોતાના શાસનકાળમાં ગેરકાયદેસર બેનામી લેવડદેવડ પ્રતિબંધિત તરનાત કાયદાને લાગુ નહીં કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે નોટબંધી બાદ ભ્રષ્ટાચાર અને કાળાનાણાં વિરૂદ્ધની લડાઈને આગળ વધારવાનો સંકલ્પ લેતા કહ્યું કે, સરકાર ટૂંકમાં જ બેનામી સંપત્તિની લેવડ દેવડ પર અંકુશ લગાવવા મંજબૂત કાયદો બનાવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ કેન્દ્રીય પ્રધાન એમ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, કેન્દ્ર બેનામી સંપત્તિ અને સોના તરીકે જમા બેનામી સંપત્તિની લેવડ દેવડ પર પ્રતિબંધ લગાવવા પગલા લેશે.
કેન્દ્ર સરકારે આ ખર્ચની મર્યાદામાં ઘર બનાવવાની યોજના તૈયાર કરવા શહેરી વિકાસ મંત્રાલયને આદેશ આપ્યો છે. કાળા નાણાંનું મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિની ખરીદીમાં રોકાણ થતું હોય છે. આવી સંપત્તિઓને વેચી મેળવેલી રકમને એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં રોકાણ કરવાથી ગરીબોને સસ્તુ ઘર મળી શકશે.
કેન્દ્ર સરકારે નિમેલા સચિવોના ગ્રુપે કેન્દ્ર સરકારને સોંપેલા પોતાના રિપોર્ટમાં આ ભલામણ કરી. મોદી સરકારે આ ભલામણનો તાત્કાલિક રીતે અમલ કરવાનું નક્કી કર્યું છે. આ રીપોર્ટ પ્રમાણે ગ્રામીણ વિસ્તારમાં એક મકાન બનાવવા માટે બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં મકાન બનાવવા માટે 15 લાખ રૂપિયા ખર્ચ થઈ શકે છે.