ડોકલામના વિવાદ વચ્ચે પીએમ મોદીએ ચીનમાં થયેલા ભૂકંપ પર વ્યક્ત કર્યું દુખ
જ્યારે આગલી સવારે શિનજિયાંગમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનમાં આવેલી કરુણાંતિકા પર સોશલ મીડિયા પર મોદીની સંવેદના એવા સમયે આવી જ્યારે સિક્કિમના ડોકલામમાં બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.
ચીનમાં આ અઠવાડિયામાં 12 કલાકમાં બે વાર ભૂકંપના ઝાટકા આવ્યા હતા. પ્રથમ ઝાટકો મંગળવારે સાંજે આવ્યો હતો. તેની તીવ્રતા 7.0 હતી. આ ઝટકાથી સિચુઆનના લોકપ્રિય પ્રવાસન સ્થળના ધ્વસ્ત કરી દીધો હતો અને 20 લોકોના મોત થયા હતા. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે.
નવી દિલ્લી: સિક્કિમ નજીક ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓના સૈનિક આમને સામને છે. બન્ને દેશોમાં આ વાતને લઇને તણાવ ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ ચીની માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ સિનાલ વીબો પર લખીને ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપ પર દુખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ ટ્વિટરના ચીની સમકક્ષ સિના વીબો પર લખ્યું કે ભારતના લોકો ભૂકંપમાં મૃત્યુ પામેલા અને તેમના પરિવાર માટે ઈશ્વરને પ્રાથના કરી રહ્યા છે.