નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પીએમ નરેન્દ્ર મોદીની સલાહ
પીએમ મોદીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે, દેશ લાંબા સમયથી આર્થિક અને રાજનીતિક અવ્યવસ્થાનો ભોગ બન્યું છે અને આ વિષય પર એક રચનાત્મક ચર્ચા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સમયનું યોગ્ય વ્યવસ્થાપન ન થવાને કારણે અનેક સારી પહેલ અને યોજનાઓ અપેક્ષિત પરિણામ નથી આપી શકી.
પ્રધાનમંત્રી મોદીએ ભ્રષ્ટાચાર ખત્મ કરવા અને સરકારી ખરીદીમાં પારદર્શઇતા વધારવા માટે જીઈએમ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ભીમ અને આધાર જેવી પ્રોદ્યોગિકીના ઉપયોગથી રાજ્યોને ઘણી બચત થશે.
નીતિ આયોગની ગવર્નિગં કાઉન્સીલની ત્રીજી બેઠકમાં પોતાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, નાણાંકીય વર્ષને હાલના એપ્રિલ-માર્ચને બદલે જાન્યુઆરી-ડિસેમ્બર કરવાની ભલામણ મળી છે. તેમણે રાજ્યોને આગ્રહ કર્યો કે તે આ સંબંધમાં પહેલ કરે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યોને કહ્યું કે, નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બર કરવા પર વિચાર કરો અને તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે, દેશમાં જ્યાં ખેતીની આવક ખૂબ જ મહત્ત્વપૂર્ણછે, ત્યાં બજેટ વર્ષ રીસિપ્ટ બાદ તરત જ તૈયાર કરવું જોઈએ.